નાનુ નાજુક આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે (કીર્તન લખેલું નીચે છે)-વસંતબેન

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • નાનુ નાજુક આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે
    જાળવીને કરજો જતન પ્રભુ એ મને રહેવા આપ્યું છે.....
    ભવના ફેરા માં ફરતા રે ફરતા
    ભૂલ ભુલવણીમાં રસ્તે રજડતા
    મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    એવી તે કારીગરી કરી શામળિયે
    વિચાર કરતાં પાર નો પામીએ
    એવો આ ચણનારો ચતુર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા
    જાળિયે જાળિયે રેશમના પડદા
    ઘટમાં બિરાજે ઘડનાર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે
    વહીવટ કરવો એ તારે રે હાથ છે
    હિસાબ માગશે જરૂર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    ભક્તિ ના ભાવનો ઓટ ચડાવજો
    રામનામ મન્ત્રનો રંગ લગાડજો
    સત્સંગનો કરજો શણગાર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    કાયમ નથી વસવાટ આ ઘરમાં
    ખાલી કરવાની નોટીસુ આવશે
    ઓચિંતા લેવી વિદાઈ પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
    નાનુ નાજુક આ ઘર પ્રભુ એ તને રહેવા આપ્યું છે
    જાળવીને કરજો જતન પ્રભુ એ તને રહેવા આપ્યું છે.....
    #Vasantben
    #કીર્તન
    #Arunaben
    #અરુણાબેન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #Bhavnagar
    #ભાવનગર

КОМЕНТАРІ • 118