અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2025
  • શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ, કૃપા તે સાધુ જન ,
    પરિબ્રહ્મ મારો આત્મા, મારુ મન તે અર્જુન,
    અર્જુન સુનો ગીતા સાર,પાંડવ માનજો નિરધાર..
    અર્જુને એમ જ પૂછ્યું, કે સાંભળો વૈકુંઠરાય ,
    કહો સાર ગીતા નો મને, નિજ ભક્ત નો મહિમાય .
    ત્યારે શ્રી હરિ ઓચર્યા, અર્જુન ધરજો મન ,
    જે સાર ગીતાનો સાંભળે, અવતાર તેનો ધન્ય .
    ચૌદ લોક જે વશ માહરે, બ્રહ્માંડ કેરો ભાર ,
    એ ધન્ય મારા દાસ ને, રાખે હૃદય મોઝાર .
    જલ મધ્યે જેમ વસે પદ્મ, તેને સ્પર્શ નહિ લગાર ,
    તે ચિહ્ન મારા ભક્ત નું, વળગે ન વિષય વિકાર .
    સંસાર માં સરસો રહે, ને મન મારી પાસ ,
    સંસાર માં લેપાય નહિ, તે જાણ મારો દાસ .
    મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે હોય હેત હંમેશ ,
    તો ભક્ત તેને જાણીએ, જે કરે ન કોઈ નો દ્વેષ .
    કર માંહી તુલસી, કરને તુલસી, કંઠે તુલસી હાર ,
    બહુ તિલક છાપા શોભતા, મુજ ભક્તનો શણગાર .
    સાચા સાધુ ને જાણે નહિ, પાખંડી પૂજે લોક ,
    જે દંભ આડંબર કરે, તે જાણું સર્વે ફોક .
    ઉત્તમ વર્ણ થઇ નહિ ભજે, કહીએ ચાંડાલ તેહ ,
    ચાંડાલ થઇ મુજને ભજે, તે જાણ મારો દેહ .
    મુજ ભક્ત કેરે કારણે, અવતાર લીધા દશ ,
    હું નિરંજન નિરાકાર, મને ભક્તે કીધો વશ .
    વળી વૈકુંઠ કેરે કારણે, ગયો વસવા વેન ,
    રાવણ ને મારી રાજ આપ્યું, વિભીષણ રાજન .
    દુર્વાસા ઋષિએ દુભવ્યો, મુજ આત્મા અંબરીશ ,
    ભય ચક્ર મેલી છેદીઓ, મેં ભલી બગાડી શીખ .
    બલિરાય ને મેં બાંધીઓ, દેવોની કીધી વહાર ,
    પાતાળ આપ્યું રાય ને, ત્યાં હું રહ્યો છડીદાર .
    ગોકુલ વિષે હું અવતર્યો, શિરે પીંછ ધારતો મોર
    માખણ ખાતો ચોરી ને, જુગમાં કહેવાયો ચોર .
    માં જશોદાએ બાંધીઓ, હું જોડી ઉભો હાથ ,
    હું દિન થયો તે દાસ નો, જે ચૌદ ભૌવન નો નાથ .
    વળી ઇન્દ્ર જયારે કોપીઓ, ત્યારે કોઈ ના આવ્યું આડ ,
    ગોકુલ રાખ્યું રેલતું, ગોપી લડાવ્યા લાડ .
    સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો, મારો કોઈ ન જાણે ભેદ ,
    મારા ભક્ત કેરે કારણે, મને કહે લંપટ વેદ .
    વિરંચી વાછરડું હરિ ગયો, તે થયો મહા અધર્મ ,
    હું નવા નિપજાવી લાવિયો, મારો કોઈ ના જાણે મર્મ .
    મામા ને હું મળવા ગયો, ત્યાં મળી કુબજા નાર ,
    થોડાક ચંદન કારણે, મેં આપ્યું રૂપ અપાર .
    વળી પ્રથમ પોળે બેસતા, પરિચરે દીધી ગાળ ,
    મેં મારી ને વસ્ત્રો લીધા, સોહાવિયા ગોવાળ .
    વળી ત્યાંથી આગળ ચાલતા, માલણ લાવી હાર ,
    મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદારથ ચાર .
    વળી માર્ગમાં નાવિક મળ્યો, ને આપ્યું દર્પણ હાથ ,
    પૂર્યા મનોરથ તે તણાં, મેં રાખ્યો મારી સાથ .
    સંબંધી જનને જે હણે, ચાંડાલ નો તે અંશ ,
    મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કંસ .
    મેં સુદામાને સંતોષીયા, તાન્દુલ કણ ને કાજ ,
    સંપત્તિ આપી તેહને, નવનિઘ સુદ્ધા રાજ .
    એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યા ભાજી-પાન ,
    મેં લાડ પાળ્યા દાસના, રાજાના તોડ્યા માન .
    એકવાર જુ વન માં ગયો, ત્યાં વન હતું ઘનઘોર ,
    ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધા એઠા બોર .
    કૌરવોનું કુળ સંહારીયુ, મેં સાર્યો તારો અર્થ ,
    હું ચૌદ ભુવનનો રાજિયો, મેં હાંક્યો તારો રથ .
    અમે ઘણા મળી ગોવાળિયા, રમતા ગયા મહાવન ,
    બહુ ભાવ જોઈ ઋષિ નારનો, અમે જાચી લીધા અન્ન .
    પ્રહલાદ-પિતાએ પજવીયો, મેં સ્તંભમાં પૂર્યો વાસ ,
    તે દુષ્ટને વિદારીને, ઉગારી લીધો દાસ .
    વળી ધ્રુવને દુભવીઓ, ને કાઢ્યો વનવાસ ,
    તે બાળકે મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ .
    ચંદ્રહાસ ને હરિશ્ચંદ્ર રાય, ભક્ત મારા જેહ ,
    પડી વિપત્તિ પણ નહિ વીસર્યા, મુજ મુકુટ મણિ એહ .
    જયારે સુધન્વાને નાખ્યો, તાતે તેલકઢાની માંહ્ય ,
    મારા દાસને ઉગારવા, હું દોડ્યો તેની પાસ .
    દ્રૌપદીના પટકૂળ ખેંચીયા, હું પાસ નહિ તે કાળ ,
    મારા દાસ ને વેળા પડી ત્યારે, તુરંત લીધી સંભાળ .
    પાંચાલીને જયારે પરહરી, પાસે હતા પાંચ વીર ,
    મેં પ્રગટ થઇ ત્યાં પુરિયા, નવસો નવાણું ચીર .
    એક કોળીએ કૌતુક દીધું ને લીધું મારુ રૂપ ,
    રાજાની કન્યા પરણિયો, પરદલ કોપ્યો ભૂપ .
    મેં ત્યાં જઈને શું કર્યું, મુજ તેજ મૂક્યું સાર ,
    પારદલનો પરાજય કર્યો, કીધી ભક્તની વહાર .
    અજામિલ જે મહાપાતકી, પાપિણી ગુણકા જેહ ,
    જે સ્મરણ કરતા માહરું, વૈકુંઠ પામ્યો તેહ .
    ગજરાજ ને ગ્રાહે ગહ્યો, ત્યાં લીધું મારુ નામ ,
    ત્યાં એક કરતા બેઉના, અર્જુન સિંધ્યા કામ .
    હું ને મારા ભક્તમાં, અંતર હોય ન લગાર ,
    મુજ ભક્તને નહિ ઓળખે, તે ભૂલી ભમે સંસાર .
    મારા ભક્ત સુખી તો હું સુખી, દુઃખી તો દુઃખી જાણ ,
    મારા ભક્તને જો કોઈ દુભવે, તો મને લાગે બાણ .
    છે સ્વર્ગ-મૃત્યુ પાતાળમાં, જલથલ મહી મુજવાસ ,
    સન ઇન્દ્રસુંત તુજને કહું, હું થકી વધુ અદકો દાસ .
    હું યોગ યજ્ઞે નહિ મળું, નહિ તપ તીરથ કે દાન ,
    અર્જુન મહિમા જાણજે, મારુ ભક્તિથી છે જ્ઞાન.
    હું ભક્ત ની સંગે ફરું, મને ભક્ત નો આધાર,
    અર્જુન મહિમા જાણજે, કેહતા ન આવે પાર.
    હરિભક્તિ મહિમા સુણી, અર્જુન પામ્યો હરખ અપાર,
    મૂર્છિત થઇ અવની પડ્યો, નેત્રે વહે જલધર.
    અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નર-નાર,
    તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિરાધાર.
    એ ભક્તિ મહિમા માહરો, કોઈથી કળ્યો ના જાય,
    જેનું ભાગ્ય હોય તે અનુભવે, "ધનદાસ" ગીતા ગાય....
    #Vasantben
    #અર્જુન_ગીતા
    #કીર્તન
    #ગીતા_જયંતિ
    #ગીતા_જ્ઞાન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #અરુણાબેન
    #Arunaben
    #Bhavnagar
    #ભાવનગર
    #Saurashtra
    #સૌરાષ્ટ્ર

КОМЕНТАРІ • 127