EP - 1 / Saumya Joshi / Kavyagoshthi / Navajivan Trust
Вставка
- Опубліковано 12 вер 2024
- નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠિ’, જેમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરે છે અને કાવ્યપઠન રજૂ કરે છે.
આ ઉપક્રમના પ્રથમ મણકાના સર્જક છે જાણીતા કવિ, નાટ્યકાર અને લેખક શ્રી સૌમ્ય જોષી. ગુજરાતી કવિતા, નાટક અને સિનેમા ક્ષેત્રે સૌમ્ય જોષીનું પ્રદાન અદકેરું છે. એમનો કાવ્યસંગ્રહ ‘ગ્રીનરૂમમાં’ ભાવકોમાં ખાસ્સો લોકપ્રિય રહ્યો છે.
અહીં કવિએ પોતાની કાવ્યસર્જનપ્રક્રિયા વિશે રસપ્રદ વાતો કરી અને કવિતાઓનું પઠન કર્યું.
શ્રોતાઓના સવાલોના મજેદાર જવાબો આપીને કવિએ સાંજ શણગારી દીધી.
વાહ
સુંદર પરિકલ્પના. નવજીવન ટ્રસ્ટ અને સૌમ્યભાઈનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન.
ઘણી જગ્યાએ પ્રેક્ષકોના રીએકશનની એકની એક જ ક્લિપ ન વાપરી હોત તો વધારે સારું હતું. કારણ કે ઘણી જગ્યાએ કવિતાનો વિષય અને ભાવ દુઃખદર્દ ભર્યા છે કવિતા હચમચાવી નાખે એવી છે અને એ જગ્યાએ પ્રતિભાવમાં પ્રેક્ષકો હસતાં હોય એવા દ્રશ્યો જોતી વખતે થોડા ખટકે છે.
તમારી એકોક્તિ.....👏👏👏👏👌
One liners......👌
Excellent